ધર્મ ડેસ્ક: રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનનો હોય છે. દર વર્ષે આ પર્વ શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ભદ્રાકાળના કારણે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. પરંતુ રક્ષાબંધનને લઇ ઘણી બહેનોના મનમાં એ સવાલ છે કે આખરે રાખડીની થાળીમાં કઈ કઈ વસ્તુ રાખવી. એવામાં આઓ જાણીએ રાખડીની થાળીમાં કઈ વસ્તુ રાખવી જોઈએ.
અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કી રામનું કહેવું છે કે રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેન વચ્ચે પરસ્પર સંવાદિતાનો તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. બહેને પૂજાની થાળી વિધિ-વિધાન પ્રમાણે રાખવી જોઈએ. તેમાં પૂજા સામગ્રી પણ રાખવી જોઈએ. જેમ કે અક્ષત, રોલી, ચંદન, દહીં, દીપક વગેરે.
આ પણ વાંચો: ઈચ્છો છો ભાઈની પ્રગતિ, તો કરો રક્ષાબંધનના દિવસે આ ઉપાય, મળશે દરેક કામમાં સફળતા
રાખડી બાંધતી વખતે આ વસ્તુઓને આરતીની થાળીમાં રાખો
જો તમે રક્ષાબંધનના દિવસે તમારા ભાઈના કાંડા પર રાખડી બાંધવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા તમારે રાખડીની થાળી સજાવી જોઈએ. જેમાં ચાંદીની થાળી લેવી સૌથી શુભ માનવામાં આવે છે. જો તમારી પાસે ચાંદીની થાળી ન હોય તો એક સાદી થાળી લો અને તે થાળી પર ઓમ અથવા સ્વસ્તિક બનાવો. ત્યાર બાદ તે થાળીમાં અક્ષત રાખો, દહીં રાખો અને દીવો પ્રગટાવો. એટલું જ નહીં થાળીમાં તિલક પણ રાખવું જોઈએ. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પછી તમે તમારા ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો. તેને મીઠાઈ ખવડાવો અને પછી તેની આરતી કરો. આમ કરવાથી ભાઈને લાંબુ આયુષ્ય તો મળે જ છે પરંતુ તેને કોઈપણ પ્રકારના સંકટમાંથી પણ મુક્તિ મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)