એશિયાના સૌથી મોટા સટ્ટા બજારોમાંથી એક ફલૌદી સટ્ટાબજારમાં લોકસભા ચૂંટણી 2019ને લઈ દરરોજ ઉમેદવારોની ધડકન તેજ થાય તેવા ભાવ ઉપર-નીચે થઈ રહ્યા છે. ચૂંટણીમાં લગભગ સટીક ભવિષ્યવાણી કરનારું આ સટ્ટાબજારના આકલનને એકવાર ફરી ચૂંટણી પરિણામની ભવિષ્યવાણી કહેવામાં આવી રહ્યું છે. ફલૌદી સટ્ટા બજારમાં એક મહિના પહેલા મોદી નેતૃત્વવાળી બીજેપીને લોકસભા ચૂંટણીમાં 260થી વધારે સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. તેના પાછળ ફલૌદી સટ્ટાબજાર એક્સપર્ટનું માનીએ તો, પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાના બાલાકોટમાં એર સ્ટ્રાઈકથી મતદારો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મજબૂત સ્થિતિ મોટુ કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે, પ્રદેશની જોધપુર લોકસભા સીટનું તાજા આકલન ત્યાંના ઉમેદવારોની ધડકન તેજ કરી રહ્યું છે. સૂત્રો અનુસાર, બીજેપી ઉમેદવાર ગજેન્દ્રસિંહ શેખાવતનો ભાવ 60 પૈસા અને કોંગ્રેસ ઉમેદવાર વૈભવ ગેહલોતનો ભાવ 1.20 રૂપિયા ચાલી રહ્યો છે. આગળની સ્લાઈડમાં જોઈએ, રાજસ્થાન અને અન્ય રાજ્યો પર સટ્ટા બજારનો દાવ?
ફલૌદી સટ્ટાબજાર અનુસાર, કેન્દ્રમાં અગામી સરકાર પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએની જ બનવાની છે. એનડીએના ખાતામાં 310-320 બેઠકો આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગળની સ્લાઈડમાં જોઈએ કોંગ્રેસની પરિસ્થિતી.
ફલૌદીના સટ્ટામાં આ વખતે કોંગ્રેસને 70થી પણ ઓછી સીટો મળવાનું અનુમાન છે. એર સ્ટ્રાઈક બાદ બદલાયેલા માહોલનો હવાલો આપતા બુકીઓ દાવો કરી રહ્યા છે કે, કોંગ્રેસ આ ચૂંટણીમાં 65-66 સીટો પર જ સમેટાઈ જશે.
સટ્ટા બજારના તાજા અનુમાન અનુસાર, રાજસ્થાનમાં 80 ટકા એટલે કે 20 સીટો પર બીજેપીની જીત પાક્કી જણાવવામાં આવી રહી છે. અહીંની કુલ 25 સીટોમાંથી 20થી વધારે સીટો પર બીજેપીની જીતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પેટાચૂંટણીના પરિણામ પહેલા ફલૌદી સટ્ટાબજારે રાજસ્થાનની ત્રણ સીટો પર કોંગ્રેસની જીતના સંકેત આપ્યા હતા, જે સાચા સાબિત થયા હતા. તમને જણાવી દઈએ કે, આ ચૂંટણીથી સટ્ટાબજારનો ભાવ હજુ સામે નથી આવ્યો પરંતુ ગત વખતે પેટાચૂંટણીમાં કોંગ્રેસના જ્યારે 35 પૈસા ભાવ ચાલી રહ્યો હતો તો બીજેપીનો 2 રૂપિયા ભાવ મળી રહ્યો હતો.
ભીલવાડની માંડલગઢ સીટ પર પેટાચૂંટણીને લઈ ફલૌદી સટ્ટાબજારમાં એક દિવસ પહેલા સુધી બીજેપીનો ભાવ 4થી 5 રૂપિયા સુધી પહોંચી ગયો હતો, જ્યારે કોંગ્રેસનો ભાવ 8થી 10 પૈસા હતો.