સુરેન્દ્રનગર : આઈસર અને કાર વચ્ચે ભયંકર ટક્કર, 4 લોકોના મોત

ખબરી ગુજરાત ગુજરાત

Surendranagar Accident : સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં ભયંકર અકસ્માત (Accident)ની ઘટના સામે આવી રહી છે. અમદાવાદ કચ્છ હાઇવે (Ahmedabad Kutch Highway) પર આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકોને અલગ અલગ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. અકસ્માત એટલો ભંયકર હતો કે કારના ફૂરચા ઉડી ગયા હતા.

આ પણ વાંચો : અમેરિકાએ બનાવ્યું આત્મઘાથી ડ્રોન, જાણો ખતરનાક ડ્રોનની ખાસિયત

મળતી માહિતી અનુસાર, અમદાવાદ કચ્છ હાઇવે પર ધ્રાંગધ્રા બાયપાસ કુડા ચોકડી નજીક આઇસર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતને કારણે કારનો ભૂક્કો બોલી ગયો હતો. ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં અન્ય ત્રણ લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. જેને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતમાં ભોગ બનનાર લોકો ધ્રાંગધ્રાના એક ગામમાંથી પ્રસંગ પતાવી ઘરે પરત ફરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

અકસ્માતમાં ભોગ બનનાર તમામ લોકો હળવદ તાલુકાના ગોલાસણ ગામના હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ધ્રાંગધ્રાના એક ગામેથી પ્રસંગ પતાવી પોતાના ઘરે હળવદ તરફ પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. ચાર લોકોના મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો છે.

આ પણ વાંચો : Gondal: ગોંડલમાં રાજાશાહી વખતના પુલ પર નહિ કરી શકાય વાહનોની અવર-જવર, જાણો શું છે કારણ

અકસ્માતમાં કાનજીભાઈ ભૂપતભાઈ ઉં. વર્ષ 17, ઉમેશભાઈ જગદીશભાઈ ઉં. વર્ષ 15, કરશનભાઈ ભરતભાઈ ઉં. વર્ષ 24, કિરણભાઈ મનુભાઈ ઉં. 17 તમામ રહે ગોલાસણના મોત થયા છે. જ્યારે અમિતભાઈ, કાનાભાઈ સુરેલા અને સુરેશભાઈ ધામેચા હાલ સારવાર હેઠળ છે.