મન ઇશ નું મનન

🕉

હું એટલું શીખ્યો છું કે…

પૈસા કમાવા માટે બુદ્ધિ ની જરૂર પડતી હશે પણ એના સદ્ઉપયોગ માટે તો સંસ્કાર જ જોઈએ.

મન ઇશનું મનન
તા. ૦૮-૦૫-૨૦૨૦
🙏🏻

મન ઇશ નું મનન

🕉

હું એટલું શીખ્યો છું કે…

જો આપણે સૌ એકબીજાની પ્રાર્થનાઓ સાંભળી લઈએ તો પ્રભુના માથેથી થોડો બોજ જરૂર ઓછો થાય !!

મન ઇશનું મનન
તા. ૦૭-૦૫-૨૦૨૦

ભાવ પ્રગટ : – શ્રી અતુલભાઈ ભટ્ટ

“રત્ન કણિકા માણસને માનવ બનવા પ્રેરે”
પરમાત્માએ દરેક વિશ્વ માનવ ને દેહ+ આત્મા એ જ પરમાત્મા સાથ સંગાથ મોકલ્યાછે. આપણે દરેક અત્યારે પેલા અણદીઠા પરમાત્માને પ્રાર્થા કર્યા કરીએ જે હજારો ગાઉ અદ્રશ્ય અકલ્પ્ય અલભ્ય છે. ચાલો મારી આજુબાજુ
ઉપર નીચે જે કોઈની તકલીફ હું સમજીને જાણી શકું છું તો એને દૂર કરવા હમેંશ તત્પર રહું… પ્રભુ તો મુજ આત્મામા પણ વસ્યો જ છે ને!
“સારા કામ ક્યારે કરશો આજ આજ ભાઈ અત્યારે”
વિશ્વના દરેક માનવમા બેઠેલ જો પ્રાર્થના સાંભળી મદદરુપ બને તો પૃથ્વિ પર દુ:ખ તો ન જ રહે.

મન ઇશ નું મનન

🕉

હું એટલું શીખ્યો છું કે…

આપણે જ ચહેરો સૂર્યપ્રકાશ તરફ રાખીએ તો પછી પડછાયો આપણને નહીં દેખાય.

મન ઇશનું મનન
તા. ૦૬-૦૫-૨૦૨૦

ભાવ પ્રગટ : શ્રી અતુલભાઈ ભટ્ટ

આજના મન ઈશના મનની રત્ત્ન કણિકાએ મારા મનને પણ વંટોળે ચઢાવી દીધું.. પણ શાંત થતા જ સમજાયું “ રામ દેવ હોવાથી એને પડછાયો ન હોય પણ રાવણને માર્યાથી બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું ને પડછાયો પડવા લાગ્યો” પછીની વાર્તા તમે સૌ જાણો છો જ. ટુંકમા આપણો જ પડછાયો આપંણી સાથે ચાલે તો આપણને પસંદ નથી. માટે.. પેલા સૂર્યદેવની સન્મુખ મુખ રાખી ઉભા રહીએ તો એ પ્રકાશે પડછાયો અદ્રશ્ય છઈ જાયને આપણો આત્મદિપ ઝળ હળે…..

મન ઇશ નું મનન

🕉

હું એટલું શીખ્યો છું કે…

જે મીણબત્તી ઓગળવા માટે તૈયાર નથી હોતી તે કદી પ્રકાશ નથી આપી શકતી.

મન ઇશનું મનન
તા. ૦૫-૦૫-૨૦૨૦

ભાવ પ્રગટ : શ્રી અતુલભાઈ ભટ્ટ
વાહ… ક્યા બાત
ઓગળી જવું કે પીગળી જવું….
મીણબત્તી એ જ મારું જીવન, ભીતર એક મીણબત્તી પ્રભુએ પ્રગટાવીને મોકલ્યો છે. એમાં મીણની જગ્યાએ આત્માના કોડિયામાં સ્નેહ પણ ભરી આપ્યું છે. સ્નેહ અંતરમા ઓગાળી ઓગાળીને જેટલો અન્યમા વહેંચીએ એટલો દિવડીનો પ્રકાશ તેજ તેજ થશે.” ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા” યાદ કરીએ મીણબત્તીને જેમ જેમ ઓગળતી જાય તેમ તેજસ્વી પ્રકાશ દેતી જાય…
મન ઈશને એટલું જ કહું આપણે પણ આપણામા રહેલ સ્નેહ મીણને ઓગાળી સૌને વહેંચીએ તો… અનંત આત્મદીપના સ્નેહથી જગત કોરોના મુક્ત થઈ પ્રકાશમય જરુર બનશે જ

મન ઇશ નું મનન

🕉

હું એટલું શીખ્યો છું કે…

આપણી પોતાની ભૂલ હોય ત્યારે સમાધાનની અપેક્ષા રાખીએ છીએ તેમ અન્યની ભૂલ માટે આપણે સમાધાનની તૈયારી રાખીએ….

મન ઇશનું મનન
તા. ૦૪-૦૫-૨૦૨૦

ભાવ પ્રગટ : શ્રી અતુલભાઈ ભટ્ટ
મન ઈશના મનનની રત્ન કણિકાનું આ રત્ન જીવન જીવંત જીવવાની જાદુઈ ચાવી છે.અને હું આ સાહિત્ય ને કાવ્ય સંગીત પ્રેમીઓના મેળામા મનીષ એ જ પ્રમાણમા વર્તી રહ્યો છે તે માટે મારા અભિનંદન.
હું ભુલ કરું! માફી માગી લઉં એટલે અન્યએ માફ કરી.. સમાધાન. પણ તું ભુલ કરે તો માફી નહીં જ તો સમાધાન તો ઘણું દૂર રહ્યું.
ન્યાઈ બનીએ પવિત્ર બનીએ ને સમાધાનકારી બનીએ. તણાવ મુક્ત બનવા આ રત્ન ને આજથી જ જડીબુટ્ટીની માફક ખીસ્સામા રાખો.આનંદમય યાત્રા…

મન ઇશ નું મનન

🕉

હું એટલું શીખ્યો છું કે…

માણસ કેવી કિંમતી ચીજવસ્તુઓ વાપરે છે તેના પરથી તેની કિંમત અંકાતી નથી, પણ એ પોતાના સમયની અને બીજાના સમયની કેવી કિંમત કરે છે એના પરથી તેની સાચી કિંમત અંકાય છે…….

મન ઇશનું મનન
તા. ૦૩-૦૫-૨૦૨૦

મન ઈશ સલામ તારા મનનને…
ગઈકાલે રાત્રે વિચારતો હતો કે”મને હવે કોઈ જ કીંમતી ભેટ સોગાદોનો ગાડી ઘોડા વાડીનો અભરખો રહ્યો નથી… મનીશના આ ત્રણ સુકોમળ નિર્દોષ બાળકો સમયની કિંમત સમજી ઉછરી મોટા થઈ જાય એટલી તો જીંદગી ઈશ્વર આપજે.
હું મારા સમયની કિંમત એટલી અતિ પણ ન કરું કે અન્યનો સમય બરબાદ થાય.આજે રત્ન કણિકા સંદર્ભમા મારે આ ગુજરાતી ગૌરવ- ત્રિમંદિરના દરેક દિવ્ય અંતરાત્માઓને વંદન સહ વિનંતી કે “ આપણે સૌ રસના ઘુંટડા પીવડાવતા રહીએ ઘાડવા નહીં કારણ સમય મુલ્યવાન દરેકનો છે, અનુપાલન કરીએ, આનંદ લુટીએ.”