- Gujarati News
- Lifestyle
- Health
- Symptoms Of 'morning Depression', Waking Up Late At Night And Lifestyle Can Also Be The Cause.
સવારે ઉઠતા વેંત જ આવે છે કંટાળો?:'મોર્નિંગ ડિપ્રેશન' ના હોઈ શકે છે લક્ષણો, મોડી રાત સુધી જાગવું ને લાઈફસ્ટાઇલ પણ હોઈ શકે છે કારણ
- કૉપી લિંક
શું તમે પણ સવારે ઉઠો છો ત્યારે ઉદાસી અનુભવો છો? અથવા શું તમને તમારી સવારની દિનચર્યા શરૂ કરવામાં મુશ્કેલી પડે છે? શું તમે નિરાશ અનુભવો છો? સવારે કોઈ તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરે ત્યારે શું તમે નારાજ થઇ જાઓ છો? જો તમારી સાથે આવું થતું હોય કે તમારી આસપાસની કોઈ વ્યક્તિ આ રીતે વર્તી રહી હોય તો એવું નથી. હકીકતમાં આ મોર્નિંગ ડિપ્રેશન છે. આ બીમારી સાથે ઘણા લોકો ઝઝૂમી રહ્યાં છે
મોર્નિંગ ડિપ્રેશન શું છે?
મોર્નિંગ ડિપ્રેશન એ શબ્દનો ઉપયોગ ડિપ્રેશનના લક્ષણો સ્વરે દેખાઈ છે તેના માટે કરવામાં આવે છે. તે ઓફિશિયલ મેન્ટલ હેલ્થ કન્ડિશન નથી. સંશોધનમાં સમોર્નિંગ ડિપ્રેશનને diurnal mood variation કહેવામાં આવે છે. એટલે કે જેમાં વ્યક્તિનો મૂડ દરરોજ પ્રમાણે બદલાય છે. જેમાં મોટાભાગના લોકોનો મૂડ સવારે ખરાબ હોય છે અને જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તે સામાન્ય થઈ જાય છે. તે જ સમયે કેટલાક લોકોનો મૂડ દિવસભર પરેશાન રહી શકે છે. તેઓ afternoon slumpમાંથી પણ પસાર થાય છે અથવા રાત્રે વધુ હતાશા અનુભવી શકે છે. ઠીક છે, ડિપ્રેશન વિનાના લોકો પણ આખો દિવસ અલગ-અલગ મૂડમાંથી પસાર થઈ શકે છે.
કેટલીકવાર એક એ ટિપિકલ ડિપ્રેશન પણ તેનું કારણ હોય છે
ડૉ. વરુણ એસ. મહેતા, એસોસિયેટ પ્રોફેસર, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઇકિયાટ્રિક (સીઆઇપી), રાંચી, કહે છે કે 'મોર્નિંગ ડિપ્રેશનને ટેકનિકલ પરિભાષામાં ટિપિકલ ડિપ્રેશન પણ કહેવાય છે. ટિપિકલ ડિપ્રેશન વધુ ખરાબ હોય છે, જ્યારે ઘણી વખત સામેની વ્યક્તિમાં ડિપ્રેશનના કોઈ લક્ષણો હોતા નથી. આ કિસ્સામાં આપણે તેને ટિપિકલ ડિપ્રેશન કહીએ છીએ. ક્યારેક નારાજ થવું કે ગુસ્સો આવવો એ પણ વ્યક્તિના વ્યક્તિત્વનો એક ભાગ છે. જરૂરી નથી કે સવારમાં થતી ચિંતા ડિપ્રેશનનું કારણ હોય, પણ હા ડિપ્રેશન એક કારણ હોઈ શકે છે.'
આ સર્કેડિયનને કારણે છે
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ દ્વારા 2013ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડિપ્રેશન ધરાવતા લોકો ઘણીવાર સર્કેડિયન લયમાં વિક્ષેપ પાડે છે. મોર્નિંગ ડિપ્રેશનનું આ એક મુખ્ય કારણ છે. સર્કેડિયન રિધમ એ તમારા શરીરમાં 24-કલાકની બાયોલોજીકલ ક્લોક છે. તે તમારા ઊંઘ અને જાગવાના ચક્રને કંટ્રોલ કરે છે. આ ઉપરાંત દિવસભર મનને સતર્ક રહેવામાં મદદ કરે છે.
તે જ સમયે, તે રાત્રે ઊંઘ અથવા આરામ માટે સંકેત આપે છે. જ્યારે તમારા શરીરની સર્કેડિયન રિધમ પર અસર થાય છે, ત્યારે તેની અસર તમારા હોર્મોન્સ, શરીરનું તાપમાન, ખોરાકની આદત, મૂડ, ઊંઘના ચક્ર પર દેખાય છે. ક્યારેક મગજમાં બળતરા અથવા મગજમાં સ્ત્રાવ થતા કોર્ટિસોલ હોર્મોન્સ પણ આ માટે જવાબદાર હોય છે. જ્યારે તમે તણાવમાં હો છો, ત્યારે તમારું મગજ કોર્ટિસોલ નામનું હોર્મોન છોડે છે.
ખરાબ મૂડ સાથે જાગવાથી દિવસ ખરાબ થશે
અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટી, પેન્સિલવેનિયાના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો સવારની શરૂઆત ખરાબ મૂડ સાથે કરે છે, તેમનો આખો દિવસ પણ ખરાબ રહે છે. તેઓ દિવસભર સકારાત્મક ઉર્જા માટે સંઘર્ષ કરે છે. રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે સવારે નેગેટિવ માઇન્ડ સેટ રાખવાથી મગજ ધીમે-ધીમે કામ કરવાનું શરૂ કરે છે, જેનાથી ભૂલો થવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત વ્યક્તિ કોઈપણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સક્ષમ નથી. 240 લોકો પર કરવામાં આવેલા આ રિસર્ચમાં જાણવા મળ્યું કે જે લોકો સવારે ઉઠતાની સાથે જ સ્ટ્રેસ સાથે શરૂ કરે છે, તેમનું કામકાજમાં પરફોર્મન્સ ખરાબ હતું.
આદતોમાં નાના ફેરફારો ફાયદાકારક રહેશે
સવારના ડિપ્રેશનનો સામનો કરવા માટે, જો તમે તમારી ઊંઘની પેટર્ન અને જીવનશૈલીમાં નાના ફેરફારો કરો છો, તો તે પણ ઘણી મદદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, તમે દરરોજ એક જ સમયે સૂઈ જાઓ છો અને સવારે તે જ સમયે જાગો છો. નિયમિત સમયે ખોરાક લો. લાંબા કલાકો સુધી સૂવાનું ટાળો. ઓરડામાં એવું વાતાવરણ બનાવો જેનાથી ઊંઘ વધારે આવે છે. જેમ કે રૂમમાં શાંતિ રાખો અંધારું રાખો અને ઠંડો રાખો. કેફીન, આલ્કોહોલ અને તમાકુ જેવી વસ્તુઓથી બચો જેના કારણે ઊંઘમાં ખલેલ પહોંચે છે.
મોબાઈલ જપ્ત થતા ગુસ્સાથી લાલઘૂમ: છોકરીએ સ્કૂલની હોસ્ટેલમાં આગ લગાડતા 19 વિદ્યાર્થિનીનાં મોત, ક્યાંક એસિડ ફેંકીને 4 નિર્દોષ લોકો દાઝી ગયા
અળસી, કદ્દુ, તલ અને સૂરજમુખીનાં બીજ ફાયદાકારક: મહિલાઓને પિરિયડ્સમાં નહીં થાય સમસ્યા, માતા બનવામાં મળશે મદદ; મેનોપોઝમાં થતી સમસ્યા થશે દૂર
પાકિસ્તાનની જેલમાં બંધ મહિલા નેતાઓએ લગાવ્યો શોષણનો આરોપ: બ્રિટનની જેલમાં સિગારેટની લાલચ આપીને ગુજારવામાં આવે છે બળાત્કાર, અમેરિકામાં ન્યૂડ વીડિયો બનાવીને કરવામાં આવે છે બ્લેક મેલ