જામનગરમાં ગરમી વધી મહત્તમ તાપમાન 36 ડિગ્રી થયું

Local | Jamnagar | 01 March, 2024 | 03:21 PM
સાંજ સમાચાર

જામનગર તા.1: જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં મહતમ તાપમાનનો પારો 6 ડિગ્રી ઉચકાતા સવારથી 36 ડિગ્રીએ પહોંચ્યું હતું.જ્યારે લઘુતમ તાપમાનમાં 2.5 ડિગ્રીના વધારા સાથે પારો 21.5 ડિગ્રી નોંધાયું હતું.તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 ટકા થતા વાદળછાયા  વાતાવરણ વચ્ચે વરસાદી મ્હોલ સર્જ્યો છે.જામનગર યાર્ડમાં મરચા,મગફળીની આવક બંધ કરાઈ છે. ખુલ્લામાં પડેલ જળસીને સલામત સ્થળે ખસેડી લેવા સૂચના અપાઈ છે.

જામનગર જિલ્લા કલેકટર કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ  આજે સવારે લઘુતમ તાપમાનનો પારો 21.5 ડિગ્રી નોંધાયો હતો.જ્યારે મહતમ તાપમાન 36 ડિગ્રી  જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 ટકા નોંધાયું હતું.તો પવનની ગતિ પ્રતિકલાક 7.8 કિમિ નોંધાઇ હતી. કમોસમી વરસાદની આગાહીને પગલે જામનગર માર્કેટીંગ યાર્ડમાં મરચા,મગફળીની આવક બંધ કરવામાં આવી છે.અને વેપારીઓને ખુલ્લામાં પડેલ જલસીને સલામત સ્થળે ખસેડી લેવા સૂચના  યાર્ડના સેક્રેટરી દ્રારા આપવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રોક અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વસંત ઋતુમાં વરસાદી માહૌલ ખાસ કરીને જામનગરજિલ્લા સહિત સોરાષ્ટ્રમાં તીવ્ર પવન સાથે વરસાદની વકી તા. 1થી 3 સુધી વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે. ઉપરાંત આ સીસ્ટમ પછી વધુ એક પશ્ચિમી વિક્ષોભ તા.5 માર્ચે ત્રાટકી રહ્યો છે જેના પગલે હવામાન ડહોળાયેલું રહેશે. આજે ગુજરાતમાં અકાળે ઉનાળાનો તાપ વરસ્યો હતો. શનિવારે સૌરાષ્ટ્રમાં માવઠાંની આગાહી થઈ છે.

વસંત ઋતુમાં ગ્રીષ્મ ઋતુનો અહેસાસ કરાવતો કમોસમી તાપ વરસતા રહી સહી ઠંડી પણ ગાયબ થઈ હતી.જામનગર શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ મા 32 ટકા નો વધારા સાથે 89 ટકા  નોંધાયું હતુઁ જ્યારે મહતમ તાપમાનમાં 6 ડિગ્રીના વધારો થવાથી મહતમ તાપમાનમાં પારો 36 સે.એ પહોંચી ગયો હતો. જ્યા જો કે હવામાન વિભાગે જણાવી ખાસ કરીને દ્વારકા, જામનગર,  જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

જામનગર માર્કેટ યાર્ડમાં કૃષિ પેદાશો બે દિવસ ખુલ્લામાં નહીં રાખવા કરાયેલી તાકીદ તા. રના જારી રહેશે. ગુજરાત માટે એકંદરે યલો એલર્ટ જારી કરાયું છે.   ત્યારે યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું કે ખુલ્લામાં જે જલસીની હરરાજી થતી હતી તેવા મરચા,મગફળીની આવક બંધ કરવા આવી છે ખુલ્લા માં પડેલ માલને ખસેડી લેવા વેપારીઓને સૂચના આપી છે.  ત્યારે જામનગર યાર્ડે આવતીકાલ અને શનિવાર બે દિવસ તમામ કૃષિપેદાશો ઢાંકીને રાખવા તાકીદ કરાઈ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj