બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / government schemes pmsby and pmjjby offer 4-lakh insurance protection only rs 456 yearly premium
Kishor
Last Updated: 05:53 PM, 1 September 2023
મોદી સરકાર ખેડૂતો, ગરીબ પરિવાર અને સામાન્ય નાગરિક સહિત દરેક વર્ગના વિકાસ માટે અનેક પ્રકારની કલ્યાણકારી સામાજિક યોજનાઓ બહાર પાડી છે. આ યોજનાઓમાં અનેક એવી યોજનાઓ છે જેના વિશે લોકોને જાણકારી હોતી નથી. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી 2 વીમા યોજના અંતર્ગત દેશના દરેક નાગરિકને માત્ર 456 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર 4 લાખ રૂપિયાનું વિમા સુરક્ષા કવચ મળે છે.
4 લાખ રૂપિયાનું જોખમ સુરક્ષા મળે છે
સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ચલાવી રહી છે. આ બંને સરકાર સમર્થિત ઇન્શ્યોરન્સ સ્કીમમાં દેશના સામાન્ય નાગરિકને 2-2 લાખ રૂપિયા એટલે કે ટોટલ 4 લાખ રૂપિયાનું જોખમ સુરક્ષા મળે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં માત્ર 436 રૂપિયાનું વાર્ષિક પ્રિમિયમ છે જેમાં 2 લાખ રૂપિયાની વીમા સુરક્ષા મળે છે. જો કે આ ઇંશ્યોરન્સ સ્કીમ માત્ર 18થી 50 વર્ષની ઉંમરના વ્યક્તિના લોકો લાભ લઇ શકશે.પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 1 જુનથી 31 મે સુધી એક વર્ષની અવધી માટે હોય છે. ત્યારબાદ દર વર્ષે નક્કી કરેલા સમયે રિન્યુઅલ થઇ જાય છે. આ યોજના અંતર્ગત જો કોઇ પણ કારણથી વીમા ધારકનું મૃત્યુ થઇ જાય છે તો તેના પરિવારના સભ્યને વીમા રાશી તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પણ કેન્દ્ર સરકારની યોજના છે. આ યોજનાનો લાભ માત્ર 18થી 70 વર્ષની ઉંમરના લોકોને જ મળે છે. આ વીમા સુરક્ષા યોજનાની જોખમી અવધી પણ 1 જુનથી 31 મે સુધી હોય છે. ત્યારબાદ વ્યક્તિના બેંક ખાતામાંથી 30 રૂપિયા ઓટો ડેબિટ થઇ જાય છે અને જોખમ સુરક્ષા ચાલુ જ રહે છે. સુરક્ષા વીમા યોજનામાં માત્ર 30 રૂપિયાના પ્રિમિયમ પર 2 લાખ રૂપિયાના વીમા સુરક્ષા મળે છે. જો કે આ યોજના અંતર્ગત દુર્ઘટનામાં વીમાધારકનું મૃત્યુ થઇ જાય તો અને એક્સિડેન્ટમાં પૂર્ણ વિકલાંગતા આવી જાય તો 2 લાખ રૂપિયા મળે છે. તો આંશિક વિકલાંગતા પર 1 લાખ રૂપિયા આપવામાં આવે છે.
નિર્મલા સીતારમણે જણાવ્યું કે 26 એપ્રિલ 2023 સુધી પીએમજેજેબીવાય અને પીએમએસબીવાય યોજના અંતર્ગત ક્રમશઃ 16.2 કરોડ તથા 34.2 કરોડ લોકોનું રજિસ્ટ્રેશન થયું છે. તો પીએમજેજેબીવાય યોજનામાં 6.64 લાખ પરિવારને સહાયતા આપવામાં આવી છે. જેમાં ક્લેમ તરીકે 13,290 કરોડ રૂપિયાનું ચુકવણું કરાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh