બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / insurance company often rejects the claim? So just do this work, the solution will come in 15 days
Megha
Last Updated: 01:45 PM, 28 January 2023
વીમો કે ઈન્શ્યોરન્સ તમને કોઈ પણ અણધારી અથવા પ્રતિકૂળ ઘટનાને કારણે થતા આર્થિક નુકસાન માટે વીમા કવર પ્રદાન કરે છે. આ અંતર્ગત તમારે નિયમિત સમયગાળા દરમિયાન વીમા કવર માટે અમુક પ્રીમિયમ જમા કરાવવું પડે છે. આ પ્રિમીયમ માસિક, ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે ચૂકવી શકાય છે. જણાવી દઈએ કે તમારા વીમા કવરની રકમ તમારા દ્વારા ચૂકવવામાં આવતા પ્રીમિયમના મૂલ્યના આધારે નક્કી કરવામાં આવે છે. જો ભવિષ્યમાં તમારી સાથે કોઈ અકસ્માત થયો તો આવી પરીસ્થિતિમાં તમને વીમા કવરનો લાભ મળી શકે છે.
વીમા પૉલિસી કોઈપણ અપ્રિય ઘટના અથવા નાણાકીય નુકસાનના કિસ્સામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનું કામ કરે છે પણ ઘણી વખત એવું પણ જોવા મળે છે કે વીમા કંપની કોઈને કોઈ મોટું કે નાનું કારણ બતાવીને વ્યક્તિના વીમાના દાવાને નકારી દે છે. એવી પરિસ્થિતિમાં ઈન્સ્યોરન્સ ક્લેઈમ રિજેક્ટ થયા પછી વ્યક્તિ ખૂબ જ પરેશાન થઈ જાય છે. જણાવી દઈએ કે આવી પરિસ્થિતને ધ્યાનમાં રાખીને વીમા નિયમનકાર IRDAIએ ઘણા પ્રકારના નિયમો બનાવ્યા છે. જો કોઈ વીમા કંપની તમારું વીમા કવર નકારે છે આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? એ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
-વીમા કંપની તમારા દાવાને નકારવા માટે ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે વીમાની નોંધણી કરતી વખતે સ્વાસ્થ્ય વિશે ખોટી માહિતી આપવી, દસ્તાવેજોમાં માહિતીમાં ફેરફાર, નિયમો અને શરતોનું ઉલ્લંઘન વગેરેનો સમાવેશ થાય છે. ઘણી વખત વીમા કંપની આ કારણો આપીને તમારો દાવો નકારી શકે છે.
-જો વીમા કંપની તમારા વીમા દાવાને નકારી કાઢે તો આ સ્થિતિમાં પહેલા ફરિયાદ નિવારણ અધિકારી પાસે જવું પડશે અને દાવા સંબંધિત તમારી ફરિયાદ નોંધવી પડે છે.
-આમ કર્યાના લગભગ 15 દિવસ પછી પણ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો તો આ સ્થિતિમાં તમે આ અંગે વીમા નિયમનકાર IRDAIને ફરિયાદ કરી શકો છો.
-તમે IRDAI ના મેલ આઈડી [email protected] પર આ વિશે ફરિયાદ કરી શકો છો અને એ સિવાય તમે આ નંબરો 155255 અથવા 1800 4254 732 પર કૉલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir