6 MAR 2019 AT 9:56


ગઝલ - પલળવું જોઈએ...

પામવા ઈશ્વર ને ભીતરથી પલળવું જોઈએ;
આભને રોકી નયનથી બસ પીગળવું જોઈએ.

શબ્દ ત્યારે પીગળે, પીડા પ્રસવની ભોગવો;
આ પ્રખર તાપે કનક માફક પ્રજળવું જોઈએ.

વ્હાલની વેલી એ ચડવું છે ? જરા થોભો સખી;
ઋજુ નમણો ઢાળ નીરખી ને જ ઢળવું જોઈએ.

અલવિદા ખુદ કાળ ને કહેવા સમય થંભી જતો :
પ્રેમથી આપે સમયસર યાર વળવું જોઈએ .

જો કળીને કોઈ પીંખે તો ન શબવત બેસતાં
ભીતરે લોહી ખરેખર દોસ્ત બળવું જોઈએ.

દિલીપ વી ઘાસવાલા

-