ગઝલ - પલળવું જોઈએ...
પામવા ઈશ્વર ને ભીતરથી પલળવું જોઈએ;
આભને રોકી નયનથી બસ પીગળવું જોઈએ.
શબ્દ ત્યારે પીગળે, પીડા પ્રસવની ભોગવો;
આ પ્રખર તાપે કનક માફક પ્રજળવું જોઈએ.
વ્હાલની વેલી એ ચડવું છે ? જરા થોભો સખી;
ઋજુ નમણો ઢાળ નીરખી ને જ ઢળવું જોઈએ.
અલવિદા ખુદ કાળ ને કહેવા સમય થંભી જતો :
પ્રેમથી આપે સમયસર યાર વળવું જોઈએ .
જો કળીને કોઈ પીંખે તો ન શબવત બેસતાં
ભીતરે લોહી ખરેખર દોસ્ત બળવું જોઈએ.
દિલીપ વી ઘાસવાલા
-