જોને, લાગણીઓનો પણ કેવો પ્રભાવ હોય છે,
કોઈ ની ગેરહાજરી માં પણ હાજર રાખતું દિલ થી દિલ નું જોડાણ હોય છે..
જોને, ભાવનાઓનો પણ કેવો સ્વભાવ હોય છે,
બસ થોડા સ્નેહ ની આશા અને સામે અઢળક વ્હાલનું વેચાણ હોય છે..
જોને, સમજણનો પણ કેવો સમભાવ હોય છે,
હૈયું અને મન બંને ના સંગાથ થી સંજોગો સામે ઝઝૂમવા સહકાર નું સપ્રમાણ હોય છે..
જોને, આત્મીયતાનો પણ કેવો પ્રતિભાવ હોય છે,
જ્યાં પોતાપણા ના અહેસાસ માં વધારો અને એકમેક પ્રત્યે ના લગાવમાં ઊંડાણ હોય છે..
જોને, સમર્પણનો પણ કેવો સદભાવ હોય છે,
'હું ' અને ' મારું' ની બાદબાકી થઈ જાય અને અન્યના હિત નું સહર્ષ બંધાણ હોય છે...
-